સ્થાપત્ય અને શૌર્યની ભૂમિ રાજસ્થાન - Swami Sachchidanand

સ્થાપત્ય અને શૌર્યની ભૂમિ રાજસ્થાન

By Swami Sachchidanand

  • Release Date: 2007-02-20
  • Genre: Hinduism

Description

સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ  કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી। તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત કાર્યશીલ રહેલા છે.

મને પ્રવાસમાંથી અમાપ પ્રેરણા અને સત્ય મળે છે. અહીં ગુજરાતની જ નજીક આવેલા રાજસ્થાનનો પ્રવાસ ગોઠવાયો ત્યારે મને કલ્પના પણ ન હતી કે રાજસ્થાનમાં આટલું બધું જોવા-જાણવાનું હશે. પહેલા દિવસથી જ અમે ઇતિહાસનું ચિત્ર જોવા માંડ્યા. આમ જુઓ તો રાજસ્થાનના બે ભાગ કરી શકાય: મારવાડ અને મેવાડ. મારવાડમાં રાઠોડો તથા ભાટીઓનો પ્રભાવ વધારે, જ્યારે મેવાડમાં રાણાઓનો પ્રભાવ વધારે. મારવાડમાં રણ જ રણ છે, જ્યારે મેવાડમાં રણ નથી. હા, ડુંગરો છે પણ લીલોતરી પણ છે. અમારો પ્રવાસ છેક સુધી રાજપૂતોના સંપર્કમાં અને તેમનાં પ્રાચીન નિર્માણકાર્યો સાથે થતો રહ્યો. એકંદરે મારા ઉપર તેમની સારી છાપ પડી. વિનય-વિવેક અને ભદ્રતાનાં દર્શન થયાં.

Comments