સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી। તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત કાર્યરત રહેલા છે.
પસ્તુત પુસ્તક કોઈ પ્રાચીન ધર્મગ્રંથ કે કોઈ પ્રાચીન વ્યક્તિવિશેષની પ્રત્યેક વાતને સિદ્ધ કરવા લખાયું નથી. પ્રાચીન ગ્રંથો યથાયોગ્ય આદરપૂર્વક માન્ય થવા જ જોઈએ. પ્રાચીન વિભૂતિઓ પણ તે જ રીતે માન્ય થવી જોઈએ - પણ વર્તમાનસંદર્ભો તથા પ્રાચીનકાળના કડવા-મીઠા અનુભવોને ધ્યાનમાં રાખીને ધર્મના જરૂરી પણ કર્મકાંડની તથા માન્યતાઓની રૂઢીઓમાં ઢંકાઈ ગયેલા મહત્વનાં પાસાં પણ ખુલ્લા થવા જોઈએ.