ગીતાજીનું ચિંતન - Swami Sachchidanand

ગીતાજીનું ચિંતન

By Swami Sachchidanand

  • Release Date: 2011-05-03
  • Genre: Hinduism

Description

સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ  કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી। તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત કાર્યરત રહેલા છે.

હિન્દુ ધર્મ પાસે કોઈ સર્વમાન્ય લોકભોગ્ય એકે ધર્મગ્રંથ નથી. મુસ્લિમો પાસે કુરાન, ખ્રિસ્તીઓ પાસે બાઇબલ, શીખો પાસે ગુરુગ્રંથસાહેબ છે, તેવો સર્વલોકભોગ્ય એક પણ ગ્રંથ નથી. કહેવા ખાતર વેદોને ધર્મગ્રંથ માનવામાં આવે છે, પણ એક તો તે લોકભોગ્ય નથી થઈ શક્યા, નથી થવા દીધા! બીજું, હિન્દુ પ્રજામાં અવૈદિક પ્રજા પણ છે, જે પોતપોતાના અલગઅલગ ધર્મગ્રંથો માને છે. વૈદિક પરંપરામાં જે આચાર્યો થયા (શંકરાચાર્ય વગેરે) તેમણે ‘પ્રસ્થાનત્રયી’ ઉપર ભાષ્યો લખ્યાં છે પણ કોઈએ વેદો ઉપર ભાષ્ય નથી લખ્યું. ‘પ્રસ્થાનત્રયી’માં ગીતા, બ્રહ્મસૂત્ર અને ઈશોપનિષદોને ગ્રહણ કરાયાં છે. ઉપનિષદોને વેદ માની લેવાયાં છે, વાસ્તવમાં તો સંહિતાભાગ જ વેદ છે. તેનો પ્રચાર તો આ આચાર્યોએ પણ કર્યો નથી. મૂળ વેદોનો પ્રચાર સ્વામી દયાનંદજીએ શરૂ કર્યો કહેવાય. તેમણે તેને લોકભોગ્ય બનાવવા સૌને અધિકાર આપ્યો પણ તેમાં બહુ સફળતા મળી દેખાતી નથી. હિન્દુ પ્રજા ઉપર ધર્મગ્રંથો તરીકે ઘણા ગ્રંથો છવાઈ ગયા છે, જેમાં રામાયણ-મહાભારત અને પુરાણો વગેરે ખરાં, પણ આ બધાંમાં એકવાક્યતા નથી, પ્રયત્ન કરીને એકવાક્યતા કરવી પડે છે. આ બધાના કારણે હિન્દુ ધર્મ સ્પષ્ટ-સચોટ થઈ શકતો નથી. તેની પાસે બધું ઘણુંઘણું છે, ઘણાં શાસ્ત્રો છે, ઘણા દેવો છે, ઘણા આચાર્યો છે, ઘણા ભગવાનો છે, ઘણા

Comments