સ્વામી સચ્ચિદાનંદ, એક કર્મયોગી સંત, સનાતન ધર્મ અને વિજ્ઞાનના પ્રખર ચિંતક અને પ્રચારક છે. સ્વામીજી એક સમાજ સુધારક, માનવતાવાદી, તત્વજ્ઞાની, માનવ કલ્યાણવાદી જેવા કાર્યમાં નિરંતર જોડાયેલા છે. તેઓ કોઈ "પંથ" અથવા "સંપ્રદાય"ના ભાગ નથી। તેઓ મનુષ્યની ખામીઓનું વિશ્લેષણ કરી અને તેમાંથી કેવી રીતે સમાજ અને માનવતાનો વિકાસ કરાય તેવો ધ્યેય રાખે છે. સમાજને જાદુ, જંતર, મંતર, અંધવિશ્વાસ, માન્યતા અને ચમત્કાર વગેરેથી દુર રાખવા માટે સતત કાર્યરત રહેલા છે.
પરમ પૂજ્ય સ્વામીશ્રી સચ્ચિદાનંદજીની પાંત્રીસ કૃતિઓનો અભ્યાસ કરાયો તે દરમિયાન સઘળી કૃતિઓમાંના ઉત્કૃષ્ટ વિધાનો નોધ્યાં. તે નોંધેલા વિધાનોના પુનઃ અભ્યાસ કરતાં તે સઘળાં જુદાં જુદાં શીર્ષકો અંતર્ગત સમાતાં હોય તેવું જણાયું. આ પ્રકારે નવ શીર્ષકો હેઠળ અલગ અલગ પણ સમાંતર અર્થસૂચક વિધાનોનું સમાનર્થી સંકલન કરાયું અને તેનું આ પ્રકાશન કરાયું છે .